Thursday, 28 December 2017

તને ક્યારેય કોઈએ કહ્યું છે રાહ જો ??
હું કહું છું રાહ નહિ જોતી.. .
હું મૃત્યુ પામીશ અને તું ફૂલો મોકલીશ.. . જે હું જોઈ નાહી શકું, તો તું હમણાંજ ફૂલો મોકલ ને... .
હું મૃત્યુ પામીશ ને તારા આસું વહેશે.. . જેની મને ખબર જ નાહી પડે, તો તું મારા પ્રેમ માં આજે જ થોડું રાડ ને.. .
હું મૃત્યુ પામીશ ને તું મારી કદર કરીશ.. . જે હું સાંભળી નાહી શકું, તો એ બે શબ્દો હમણાં જ બોલ ને.. .
હું મૃત્યુ પામીશ ને તું મારા દોષો ભૂલી જઈશ.. . જે હું જાણી નહીં શકું, એય.. . !! તો તું મને હમણાં જ માફ કરી દેને.. .
હું મૃત્યુ પામીશ ને તું મને યાદ કરીશ જે હું અનુભવી નાહી શકું, તો તું મને અત્યારે જ યાદ કર ને.. .
હું મૃત્યુ પામીશ ને તને મને સ્પર્શવા ની ઇચ્છા થશે, પણ તું મને અડી નાહી શકે, હમણાં જ મને અડ ને.. .
હું મૃત્યુ પામીશ ને તને થશે કે મેં એની સાથે થોડો વધારે સમય વિતાવ્યો હોત તો.. . તો તું અત્યારે જ એવું કર ને, મારી સાથે રહી જા ને.. .
રાહ ના જોવી.. .રાહ જોવા માં ઘણીવાર ખુબ મોડું થઇ જાય છે. હું જયદિપ.. .તને કહું છું.. .એય.! રાહ ના જોતી.

No comments:

Post a Comment

પોતાના પ્રેમી તો બનો

કોઈ મારી પાસે નથી, કોઈ મારી સાથે નથી, કોઈ મને પ્રેમ નથી કરતું એ કહેતા વધારે ખરાબ વાત તો એ કહેવાય કે  હું જ મારી જાત ને પ્રેમ નથી કરતો...